एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना ।
वासितं तद्वनं सर्वं सुपुत्रेण कुलं यथा ।।
અર્થાત્ જો સુગંધીદાર ફૂલોવાળું એકાદ વૃક્ષ હોય તો પણ આખું વન સુગંધયુક્ત બને છે,તેવી રીતે એકાદ પણ જો સુપુત્ર હોય તો તે વંશ ગૌરવવંતો બને છે.
ज्येष्ठः कुलं वर्धयति विनाशयति वा पुनः ।
हन्ति सर्वमपि ज्येष्ठः कुलं यत्र च जायते ।।
અર્થાત્ મોટો છોકરો જો નીતિમાન,ચતુર,કાર્યદક્ષ હોય તો તે જે કુળમાં અવતર્યો હોય તેની આબરુવધારેછે,અનેજોતે અવિચારી,અનીતિમાન,આળસુ હોય તો કુળની આબરું તથા સંપત્તિ હણી સર્વનાશ નોતરે છે.
वरमेको गुणीपुत्रो न च मूर्खशतान्यपि ।
एकश्र्चन्द्रस्तमो हन्ति न च तारागणोऽपि च ।।
અર્થાત્ સો મૂર્ખ પુત્ર કરતાં એક ગુણવાન્ પુત્ર સારો, એકજ ચન્દ્ર અંધકારને દૂર કરે છે,તારાઓનો સમૂહ અંધકારને દૂર કરી શકતો નથી.
एकेनाऽपि कुवृक्षेण कोटरस्थेन वह्निना ।
दह्यते तद्वनं सर्वं कुपुत्रेण कुलं यथा ।।
અર્થાત્ એકજ ખરાબ વૃક્ષના પોલાણમાં રહેલો અગ્નિ સારા વનને બાળે છે તેમ એકજ ખરાબ પુત્ર આખા કુળનો નાશ કરે છે.
उत्तमश्र्चिन्तितं कुर्यात् प्रोक्तकारी तु मध्यमः
अधमोऽश्रध्धया कुर्यात् अकर्तोच्चरितं पितुः ।
અર્થાત્ પિતાનો મનોભાવ જાણીને જે આચરણ કરે છે તે ઉત્તમ, જે આજ્ઞા કરવાથી કામ કરે છે તે મધ્યમ,જે શ્રધ્ધા વગર કરે તે અધમ છે,(પિતા ઉપર શ્રધ્ધા ન હોય તેવો) જે પિતાના કહેવા છતાં કરતો નથી તે પુત્ર નકામો છે.(उच्चरितम् –વિષ્ઠા-ગુ જેવો.)
उत्तमा आत्मना ख्याताः पितुः ख्याताश्र्च मध्यमाः ।
अधमा मातुलात् ख्याताः श्र्वसुराश्र्चाधमाधमाः ।।
અર્થાત્ પોતાની મેળે જે પ્રખ્યાત થાય તે ઉત્તમ, પિતા થકી જે ખ્યાતિ મેળવે તે મધ્યમ, મામાના પક્ષથી જે કીર્તિ મેળવે છે તે અધમ ગણાય છે, જ્યારે સસરા દ્વારા જે ખ્યાતિ મેળવે તે અધમમાં અધમ ગણાય છે.
दश कुदः समः पुत्रो, दश पुत्रो समो वृक्षः ।
અર્થાત્ એક પુત્ર દશ તળાવ બરાબર હોય છે, અને એક વૃક્ષ દશ પુત્રો બરાબર હોય છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें