સરકારી વિનયન કોલેજ શહેરામાં તા.7-9-2011ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા ભાષા સાહિત્ય ભવનના નિવૃત્ત પ્રોફે.ડૉ.વિજય પંડ્યાનું એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. કોલેજના પ્રોફે.ડૉ.દિનેશ માછીએ ડૉ.પંડ્યાનું શાલ ઓઢાડીને સન્માન કર્યં હતું અને ડૉ. પંડ્યાનો પરિચય આપતાં કહ્યું હતું કે- પંડ્યા સાહેબે 39 વર્ષ સુધી સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે, હાલ તેઓ એલ.ડી.ઇન્ડોલોજીમાં માનદ્ પ્રોફે.તરીકે સેવાઓ આપી રહ્યા છે. સાહેબના હાથ નીચે 29 વિદ્યાર્થીઓએ એમ.ફિલ. તેમજ 15 વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નો અભ્યાસ કરેલ છે. સાહેબે 45 જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે. સંસ્કૃત સાહિત્યમાં સાહેબનું જે ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે તે બદલ તેમને કેટલાક પુરસ્કારો પણ મળ્યા છે. ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ,હરિઓમ આશ્રમ વગેરેના પુરસ્કારો મળેલ છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દિલ્લી દ્વારા શાસ્ત્ર ચૂડામણિની પદવી પણ એનાયત કરવામાં આવી છે.ચાલું વર્ષે સાહેબને સંસ્કૃતના વિદ્વાન તરીકેનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.ગુજરાતમાં બહુ ઓછા વિદ્વાનોને મળેલા આ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સાહેબે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સાહેબને આ પુરસ્કાર મળ્યો તે બદલ સિડનીમાં ગુજરાતી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, કલકત્તામાં શાન્તિનિકેતનમાં પણ ફિલ્મોના ડાયરેક્ટરોની વચ્ચે સન્માન કરવામાં આવ્યું.
ડૉ. પંડ્યા સાહેબે કોલેજમાં વ્યાખ્યાન આપતી વખતે સૌ પ્રથમ પોતાની માતૃભૂમિ શહેરાને યાદ કરી બાળપણનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં.સાહેબે વૈદિક તેમજ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં અનેક સંસ્કૃત ઉધ્ધરણો આપીને સંસ્કૃત સાહિત્યની મહત્તા સમજાવી હતી. કોલેજના તમામ વિષયના અધ્યાપકો અને 250 જેટલા વિદ્યાર્થીઓએ સાહેબના આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો.
અંતમાં હું એટલું જ કહીશ કે -
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દૂર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ ગુરુ પણાનો
આજે અમે કાચ માંથી કોહિનૂર થઈ ગયા.
તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દૂર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ ગુરુ પણાનો
આજે અમે કાચ માંથી કોહિનૂર થઈ ગયા.
જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય આદરણીય શ્રી પંડ્યા સાહેબ ને શતશઃ પ્રણામ.- श्री गुरवे नमः।
1 टिप्पणी:
very good description.
malik
एक टिप्पणी भेजें