બાર ગામ માછી સમાજના યુવાનોનું એક સંમેલન ઘોડીયાર ગામમાં રાખવામાં આવ્યું હતું.મહીસાગરના કિનારે ઘોડીયાર એટલેકે કડાણા ડેમથી શરૂ કરીને છેક લગભગ ડાકોર સુધી માછી સમાજનાં 52 ગામ આવેલાં છે. આમ આ 52 ગામની શરૂઆત ઘોડીયાર ગામથી થાય છે. બાર ગામના ગામોમાં નાઘરા,દેવનાટીંબા,ખરાવાડા,પદમાજીની મુવાડી,વાઘડુંગરી,ઘોડીયાર,અનોપુર, ચારણની મુવાડી, ગબજીનાં દાતા, નાના રાજનપુર, મોટા રાજનપુર અને (આગરવાડા એક ઘર હતું, હાલ નથી ) વગેરે ગામોનો સમાવેશ થાય છે.ઘોડીયાર ગામમાં આશરે 50 જેટલા ઘર છે. ગામના યુવાનોએ સંકલન કરીને નવા વર્ષની શુભેચ્છાનો સરસ કાર્યક્રમ કર્યો.યુવાનો અને યુવતીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સરસ હતો.આ કાર્યક્રમમાં માછી સમાજના યુવાનોને પ્રેરણારૂપ બને તે હેતુથી મારું એક શિક્ષણ વિષયક અધ્યક્ષીય પ્રવચન રાખવામાં આવ્યં હતું. સંમેલનમાં આશરે 150 જેટલા યુવાનો ભેગા થયા હતા.આવતા વર્ષે આ પ્રકારનું સંમેલન મોટી સંખ્યામાં થાય તેવી શુભેચ્છા.
सोमवार, 21 नवंबर 2011
शुक्रवार, 7 अक्टूबर 2011
કોલેજમાં નવરાત્રિ મહોત્સવ
સરકારી વિનયન કોલેજ શહેરામાં નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રાસ-ગરબાની સ્પર્ધા રાખવામાં આવી.કોલેજના વિદ્યાર્થીઓએ ખૂંબ આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધો.કોલેજના અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓની સાથે ગરબાની રમઝટ માણી. ગુજરાતમાં નવરાત્રિનું પર્વ ખૂંબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.અહીં મે નવરાત્રિનું મહત્વ સંક્ષેપમાં રજૂ કર્યુ છે જે નીચે પ્રમાણે છે.
નવરાત્રિના દિવસો એટલે દેવતાઓના પુણ્યપ્રકોપમાંથી જે દૈવી શક્તિ નિર્માણ થઇ તે શક્તિની ઉપાસના કરવાના દિવસો.જે જગદંબા શક્તિ બુધ્ધિ,શાન્તિ,વિદ્યા,શ્રધ્ધા,લક્ષ્મી,દયા વગેરે સ્વરૂપે રહેલી છે તે શક્તિને નમસ્કાર કરવાના દિવસો.અધર્મ ઉપર ધર્મનો,આસુરી વૃત્તિ-રાક્ષસી વૃત્તિ ઉપર દૈવી વૃત્તિનો વિજય મેળવવાના દિવસો. જેમના હ્રદયમાં રાવણીયા વૃત્તિ રહેલી છે તે રાવણનું દહન કરવાના દિવસો.સંઘશક્તિનું મહત્વ અને એકતાનો સંદેશ સુણાવતા દિવસો.આતંકવાદ,ભોગવાદ,ભ્રષ્ટાચાર,દુરાચાર,નિર્દોશ લોકો ઉપર અત્યાચાર વગેરે અટકાવી શિષ્ટાચાર શીખવવા માટે સંકલ્પબધ્ધ થવાના દિવસો.
આ દિવસોમાં એકત્ર થઇને મા જગદંબાને વચ્ચે બિરાજમાન કરી રાસ-ગરબા રૂપે માની આસપાસ ઘૂમીને માનું સ્તવન કરવાનું હોય છે.માર્કંડેયપુરાણના 1 થી 13 અધ્યાયોમાં દુર્ગા સપ્તશતીની સ્તુતિ આવે છે.નવરાત્રિના દિવસોમાં આ સ્તુતિનું ખૂંબ મહત્વ રહેલું છે. આખી સ્તુતિ તો ખૂંબ મોટી છે પરંતુ કેટલાક શ્ર્લોકોમાં આ સ્તુતિનું હાર્દ રહેલું છે, તે શ્ર્લોકો નીચે પ્રમાણે છે.નવરાત્રિના દિવસોમાં આ શ્ર્લોકોનું નિત્ય સ્મરણ કરવું જોઇએ.
देवा ऊचुः ।। ८।।
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः ।नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् ।।
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः ।
ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः ।।
कल्याण्यै प्रणतां वृद्ध्यै सिद्ध्यै कुर्मो नमो नमः ।
नैर्ऋत्यै भूभृतां लक्ष्म्यै शर्वाण्यै ते नमो नमः ।।
दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिण्यै ।
ख्यात्यै तथैव कृष्णायै धूम्रायै सततं नमः ।।
अतिसौम्यातिरौद्रायै नतास्तस्यै नमो नमः ।
नमो जगत्प्रतिष्टायै देव्यै कृत्यै नमो नमः ।।
या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु क्षुधारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषुच्छायारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
इन्द्रियाणामधिष्ठात्री भूतानां चाखिलेषु या |
भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नमः ||
चितिरूपेण या कृत्स्नमेतद्व्याप्य स्थिता जगत् |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ||
स्तुता सुरैः पूर्वमभीष्टसंश्रया-
त्तथा सुरेन्द्रेण दिनेषु सेविता ।
करोतु सा नः शुभहेतुरीश्वरी
शुभानि भद्राण्यभिहन्तु चापदः ।।
या साम्प्रतं चोद्धतदैत्यतापितै-
रस्माभिरीशा च सुरैर्नमस्यते ।
या च स्मृता तत्क्षणमेव हन्ति नः
सर्वापदो भक्त्तिविनम्रमूर्तिभिः ।।
गुरुवार, 15 सितंबर 2011
રાષ્ટ્રપતિ પુરસ્કાર સન્માનિત ડૉ.વિજય પંડ્યાનું વ્યાખ્યાન
સરકારી વિનયન કોલેજ શહેરામાં તા.7-9-2011ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા ભાષા સાહિત્ય ભવનના નિવૃત્ત પ્રોફે.ડૉ.વિજય પંડ્યાનું એક વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. કોલેજના પ્રોફે.ડૉ.દિનેશ માછીએ ડૉ.પંડ્યાનું શાલ ઓઢાડીને સન્માન કર્યં હતું અને ડૉ. પંડ્યાનો પરિચય આપતાં કહ્યું હતું કે- પંડ્યા સાહેબે 39 વર્ષ સુધી સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે, હાલ તેઓ એલ.ડી.ઇન્ડોલોજીમાં માનદ્ પ્રોફે.તરીકે સેવાઓ આપી રહ્યા છે. સાહેબના હાથ નીચે 29 વિદ્યાર્થીઓએ એમ.ફિલ. તેમજ 15 વિદ્યાર્થીઓએ પીએચ.ડી. નો અભ્યાસ કરેલ છે. સાહેબે 45 જેટલા પુસ્તકોનું સંપાદન કર્યું છે. સંસ્કૃત સાહિત્યમાં સાહેબનું જે ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે તે બદલ તેમને કેટલાક પુરસ્કારો પણ મળ્યા છે. ગુજરાતમાં સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ,હરિઓમ આશ્રમ વગેરેના પુરસ્કારો મળેલ છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દિલ્લી દ્વારા શાસ્ત્ર ચૂડામણિની પદવી પણ એનાયત કરવામાં આવી છે.ચાલું વર્ષે સાહેબને સંસ્કૃતના વિદ્વાન તરીકેનો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.ગુજરાતમાં બહુ ઓછા વિદ્વાનોને મળેલા આ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સાહેબે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સાહેબને આ પુરસ્કાર મળ્યો તે બદલ સિડનીમાં ગુજરાતી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, કલકત્તામાં શાન્તિનિકેતનમાં પણ ફિલ્મોના ડાયરેક્ટરોની વચ્ચે સન્માન કરવામાં આવ્યું.
ડૉ. પંડ્યા સાહેબે કોલેજમાં વ્યાખ્યાન આપતી વખતે સૌ પ્રથમ પોતાની માતૃભૂમિ શહેરાને યાદ કરી બાળપણનાં સંસ્મરણો તાજાં કર્યાં હતાં.સાહેબે વૈદિક તેમજ પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં અનેક સંસ્કૃત ઉધ્ધરણો આપીને સંસ્કૃત સાહિત્યની મહત્તા સમજાવી હતી. કોલેજના તમામ વિષયના અધ્યાપકો અને 250 જેટલા વિદ્યાર્થીઓએ સાહેબના આ વ્યાખ્યાનનો લાભ લીધો હતો.
અંતમાં હું એટલું જ કહીશ કે -
અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દૂર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ ગુરુ પણાનો
આજે અમે કાચ માંથી કોહિનૂર થઈ ગયા.
તમારા હાસ્ય માં હસ્યા તો આંસુ દૂર થઈ ગયા
શું કરિશ્મા છે તમારા આ ગુરુ પણાનો
આજે અમે કાચ માંથી કોહિનૂર થઈ ગયા.
જ્ઞાનના સૂર્ય, પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય આદરણીય શ્રી પંડ્યા સાહેબ ને શતશઃ પ્રણામ.- श्री गुरवे नमः।
सदस्यता लें
संदेश (Atom)