मंगलवार, 1 सितंबर 2015

रक्षाबंधन


येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबल:तेन त्वाम् प्रतिबद्धनामि रक्षे माचल माचल:'

अर्थ है-इसकाअर्थात् जिस  रक्षासूत्र से महान शक्तिशाली दानवेन्द्र राजा बलि को बांधा गया था, उसी रक्षाबंधन से मैं तुम्हें बांधता हूं, जो तुम्हारी रक्षा करेगा| हे रक्षे!(रक्षासूत्र) तुम चलायमान न हो, चलायमान न हो। धर्मशास्त्र के विद्वानों के अनुसार इसका अर्थ यह है कि रक्षा सूत्र बांधते समय ब्राह्मण या पुरोहत अपने यजमान को कहता है कि जिस रक्षासूत्र से दानवों के महापराक्रमी राजा बलि धर्म के बंधन में बांधे गए थे अर्थात् धर्म में प्रयुक्त किए गये थे, उसी सूत्र से मैं तुम्हें बांधता हूं, यानी धर्म के लिए प्रतिबद्ध करता हूं। इसके बाद पुरोहित रक्षा सूत्र से कहता है कि हे रक्षे तुम स्थिर रहना, स्थिर रहना। इस प्रकार रक्षा सूत्र का उद्देश्य ब्राह्मणों द्वारा अपने यजमानों को धर्म के लिए प्रेरित एवं प्रयुक्त करना है।
पौराणिक प्रसंग-
पुराण में व्याख्यान किया गया है एक बार दानवों और देवताओं में युद्ध शुरू हुआ| दानव देवताओं पर भारी पड़ने लगे तब इन्द्र घबराकर वृहस्पतिदेव के पास गए| वहां बैठी इंद्र की पत्नी इंद्राणी सब सुन रही थी। उन्होंने रेशम का धागा मंत्रों की शक्ति से पवित्र कर के अपने पति के हाथ पर बांध दिया। वह श्रावण पूर्णिमा का दिन था। लोगों का विश्वास है कि इंद्र इस लड़ाई में इसी धागे की मंत्र शक्ति से विजयी हुए थे। उसी दिन से श्रावण पूर्णिमा के दिन यह धागा बांधने की प्रथा चली आ रही है। इसके अलावा स्कन्ध पुराण, पद्मपुराण और श्रीमद्भागवत में वामनावतार नामक कथा में रक्षाबन्धन का प्रसंग मिलता है। कथा कुछ इस प्रकार है- दानवेन्द्र राजा बलि ने जब 100 यज्ञ पूर्ण कर स्वर्ग का राज्य छीनने का प्रयत्न किया तो इन्द्र आदि देवताओं ने भगवान विष्णु से प्रार्थना की। तब भगवान ने वामन अवतार लेकर ब्राम्हण का वेष धारण कर राजा बलि से भिक्षा मांगने पहुंचे। गुरु के मना करने पर भी बलि ने तीन पग भूमि दान कर दी। भगवान ने तीन पग में सारा आकाश,पाताल और धरती नाप कर राजा बलि को रसातल में भेज दिया। इस प्रकार भगवान विष्णु द्वारा बलि राजा के अभिमान को चकानाचूर कर देने के कारण यह त्योहार 'बलेव' नाम से भी प्रसिद्ध है। कहा जाता है कि जब बलि रसातल चला गया तो उसने अपने तप से भगवान को रात- दिन अपने पास रहने का वचन ले लिया| भगवान विष्णु के घर न लौटने से परेशान लक्ष्मी जी को देवर्षि नारद ने एक उपाय सुझाया| नारद के उस उपाय का पालन करते हुए लक्ष्मी जी राजा बलि के पास गई और उन्हें राखी बांधकर अपना भाई बना लिया| उसके बाद अपने पति भगवान विष्णु और बलि को अपने साथ लेकर वापस स्वर्ग लोक चली गईं| उस दिन श्रावण मास की पूर्णिमा तिथि थी।

मंगलवार, 3 फ़रवरी 2015

Panchagni Vidya - clip from Adi Shansakara The Movie

पंचाग्निि                                                                                                                                                       

   Internationa Referred Journal  AYUDH   14Th  Issue octo.Nov.2014 માં                                                          પ્રકાશિત લેખ 


                                                                                                                   પ્રોફે.ડૉ.દિનેશકુમાર આર.માછી
સરકારી વિનયન કોલેજ શહેરા,
જિ.પંચમહાલ
E-mail : machhidr@gmail.com

पञ्चाग्निविद्या – એક અધ્યયન¨



        ઉપનિષદોના અભ્યાસ જેવો બીજો કોઇ અભ્યાસ જગતમાં લાભપ્રદ અને માનવનું ઊર્ધ્વીકરણ કરનારો નથી. ઉપનિષદો એ તો રત્નોની ખાણ છે. ઉપનિષદોમાં જિજ્ઞાસુઓના, તપસ્વીઓના , ભાવુકહ્રદય ભક્તોના અને ઋષિમુનિઓના અંતિમ અને વાસ્તવિક અનુભવોનું દર્શન છે. આપણા પ્રાચીન વૈદિક સાહિત્યનાં ભવ્ય રહસ્યો ઉપનિષદોમાં સમાયેલાં છે. ઉપનિષદોમાં જીવનનાં ગૂઢ રહસ્યો , ઉપાસનાઓ, વિદ્યાઓ વગેરેનું નિરૂપણ થયેલું જોવા મળે છે.
        છાન્દોગ્યોપનિષદ્[1] અને બૃહદારણ્યકોપનિષદ્[2] માં પંચાગ્નિવિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જન્મ-મરણની ઘટમાળ સમજવા તેમજ ગતિ અને આગતિનું જે ચક્ર સૃષ્ટિના આરંભથી ચાલ્યા કરે છે તે સમજવા ઉપનિષદોમાં પ્રસિધ્ધ આ પંચાગ્નિવિદ્યા જાણવી જરૂરી છે. આ વિદ્યા ઉપનિષદોના સૃષ્ટિવિજ્ઞાનનું સુપ્રસિધ્ધ અંગ છે. મુમુક્ષુ પુરુષોએ વૈરાગ્યને માટે બ્રહ્માથી શરુ કરીને તણખલા સુધીની સંસારની ગતિઓને જાણવી જોઇએ, એટલા માટેજ આ વિદ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્ર્વેતકેતુને પાંચ પ્રશ્ર્નોના ઉત્તર ન આવડતાં પ્રવાહણ જૈવલિ પ્રશ્ર્નોના ઉત્તર માટે ઉદ્દાલક સમક્ષ પંચાગ્નિવિદ્યા રજૂ કરે છે. આ વિદ્યાનું મહત્વ સમજાવવું  એ પ્રસ્તુત લેખનું હાર્દ છે. ખાસ કરીને બંને ઉપનિષદો પરના શંકરાચાર્યના ભાષ્યને ધ્યાનમાં રાખીને આ વિદ્યાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે.
        ઉદ્દાલકનો પુત્ર શ્ર્વેતકેતુ એકવાર પાંચાલ દેશના રાજા પ્રવાહણ જૈવલિની સભામાં જાય છે, સભામાં ગયેલા શ્ર્વેતકેતુને પ્રવાહણ જૈવલિએ પાંચ પ્રશ્ર્નો પૂછ્યા, તે પાંચ પ્રશ્ર્નો આ પ્રમાણે છે-
1.    હે શ્ર્વેતકેતુ ! માણસો મરી ગયા પછી ક્યાં જાય છે એ તને ખબર છે ?
2.   માણસો ત્યાંથી પાછા કેવી રીતે આવે છે એ તું જાણે છે ?
3.   દેવયાનમાર્ગ અને પિતૃયાનમાર્ગ જ્યાંથી જુદા પડે છે એ સ્થાનની તને ખબર છે ?
4.   મરણ પામેલાં માણસોથી પિતૃલોક શા માટે ભરાઇ જતા નથી એ તું જાણે છે ?
5.   કેટલામી આહુતિનું હવન કરવાથી જળ પુરુષવાચક થઇને બોલી ઊઠે છે ?
        આ પ્રમાણે રાજા જૈવલિએ શ્ર્વેતકેતુને પાંચ પ્રશ્ર્નો પૂછ્યા, પરંતુ શ્ર્વેતકેતુને એમાંના એકપણ પ્રશ્ર્નનો જવાબ આવડ્યો નહિ. આથી શ્ર્વેતકેતુ પોતાના પિતા ઉદ્દાલક પાસે જાય છે, અને કહે છે – पञ्च मा राजन्यबन्धुः प्रश्र्नान् अप्राक्षीत् तेषाम् न एकञ्चन् अशकम् विवक्तुम् ।[3] અર્થાત્ તે ક્ષત્રિય બંધુએ મને પાંચ સવાલ પૂછ્યા પણ તેમાંના એક પણ સવાલનો જવાબ હું આપી શક્યો નહિ. ત્યારે તેના પિતાએ કહ્યું કે હે શ્ર્વેતકેતુ જેમ તું આ પ્રશ્ર્નોને જાણતો નથી તેમ હું પણ જાણતો નથી. यदि अहम् इमान् अवेदिष्यम् कथं ते न अवक्ष्यम् । અર્થાત્ જો હું જાણતો હોત તો તને કેમ ન કહું આ પ્રમાણે ઉદ્દાલક શ્ર્વેતકેતુ સમક્ષ સ્પષ્ટતા કરીને કહે  છે કે, ચાલ આપણે બંને તે રાજા પાસે વિદ્યોપાર્જન કરવા માટે જઇએ. ત્યારે શ્ર્વેતકેતુએ કહ્યું કે તે રાજાનું હું મોઢુ પણ જોવા માગતો નથી. આથી તમે એકલાજ જાઓ. આથી ઉદ્દાલકે જાતેજ રાજા જૈવલિની પાસે જઇને પ્રશ્ર્નોના ઉત્તર જાણવાની ઇચ્છા કરી. રાજા જૈવલિએ તેને કહ્યું કે આની પહેલાં આ વિદ્યા બ્રાહ્મણો પાસે ગઇ નથી, તમને આપ્યા પછી જ આ વિદ્યા બ્રાહ્મણો પાસે જશે, પરંતુ તમે શાસ્ત્રોક્ત વિધિથીજ તે વિદ્યાને ગ્રહણ કરી શકશો – स वै गौतम तीर्थेन ईच्छासा.. અર્થાત્ હે ગૌતમ (ઉદ્દાલક) તે વિદ્યા તમે શાસ્ત્રોક્ત વિધિથીજ મેળવવાની ઇચ્છા કરો. અર્થાત્ વિદ્યા મેળવવા માટે તમારે શિષ્યભાવે જ આવવું પડે. પ્રાચીનકાળમાં વિદ્યાનો નિયમાનુસારજ ઉપદેશ કરવામાં આવતો. એટલેકે વિદ્યા મેળવવા માટે શિષ્યભાવે જ ગુરુની પાસે જવું પડતું. શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે કે – वाचा ह स्मैव किल पूर्वे ब्राह्मणाः क्षत्रियान् विद्यार्थिनः सन्तो वैश्यान् वा क्षत्रिया वा वैश्यान् अपद्युपयन्ति शिष्यवृत्या हि उपगच्छन्ति न उपायन शुश्रूषादिभिः।[4] અર્થાત્ બ્રાહ્મણને જ્યારે ક્ષત્રિય કે વૈશ્ય પાસે વિદ્યા ગ્રહણ કરવાની થાય ત્યારે આપત્તિકાળમાં માત્ર વાણીથી જ શિષ્ય બને છે. કોઇ પ્રકારની ભેટ આપીને કે સેવા કરીને શિષ્યત્વ ગ્રહણ ન કરતા. અહીં રાજા જૈવલિ ક્ષત્રિય હોવાથી ગૌતમ (ઉદ્દાલક) માત્ર વાણીથીજ શિષ્યત્વ સ્વીકારે છે.
        ઋષિ ઉદ્દાલકે વાણીથી શિષ્યત્વ ગ્રહણ કર્યું એટલે રાજા પ્રવાહણ જૈવલિએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ. શ્ર્વેતકેતુને જે પાંચ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા તેમાંથી સૌ પ્રથમ પાંચમા પ્રશ્ર્નનો નિર્ણય કરવામાં આવે છે. અહીં ક્રમભંગ કરવાનું કારણ એ છે કે પાંચમા પ્રશ્ર્નનું નિરાકરણ થતાંજ બીજા પ્રશ્ર્નોનું પણ નિરાકરણ થઇ જાય છે, એટલે પ્રથમ તેનું નિરાકરણ કરવામાં આવે છે.
        પંચાગ્નિ વિદ્યામાં પાંચ પ્રકારના અગ્નિ અને તેમાં હોમવાનાં દ્રવ્યો,અગ્નિની જ્વાળા,અંગારા,તણખા વગેરે સ્પષ્ટ કરવા માટે અહીં કોષ્ટક આપવામાં આવેલ છે :
અ.નં.
પંચાગ્નિ
સમિધ
ધૂમાડો
જ્વાળા
અંગારા
તણખા
હવન કરવાનું દ્રવ્ય
ઉત્પન્ન થનાર દ્રવ્ય
1
દ્યુલોકાગ્નિ
આદિત્ય
કિરણો
દિવસ
ચન્દ્ર
નક્ષત્રો
શ્રધ્ધા
રાજા સોમ
2
પર્જન્યાગ્નિ
પવન
વાદળ
વીજળી
વજ્ર
મેઘ
રાજા સોમ
વર્ષા
3
ઇહલોકાગ્નિ
સંવત્સર
આકાશ
રાત્રિ
દિશાઓ
ખૂણાઓ
વર્ષા
અન્ન
4
પુરુષાગ્નિ
વાણી
પ્રાણ
જીભ
આંખ
કાન
અન્ન
વીર્ય
5
યોષાગ્નિ
ઉપસ્થ
લોમ
યોનિ
સંભોગ
સુખ
વીર્ય
પુરુષ

(1)        द्युलोकाग्नि – असौ वाव लोको गौतमाग्निस्तस्यादित्य एव समिद्रश्मयो धूमोहरर्चिश्र्चन्द्रमा अङगारा नक्षत्राणि विस्फुलिङ्गाः। तस्मिन्नेतस्मिन्नग्नौ देवाः श्रध्धां जुह्वति तस्या आहुतेः सोमो राजा संभवति ।।[5] અર્થાત્ હે ગૌતમ પ્રસિધ્ધ દ્યુલોકજ અગ્નિ છે, આદિત્ય તેની સમિધ છે, આદિત્યનાં કિરણો ધૂમાડો છે, દિવસ જ્વાળા છે, ચન્દ્ર અંગારા છે, અને નક્ષત્રો તણખા છે. તે આ દ્યુલોકસંજ્ઞક અગ્નિમાં દેવતાઓ શ્રધ્ધાનું હવન કરે છે. તે આહુતિથી સોમ રાજા ઉત્પન્ન થાય છે.
        અહીં જે એમ કહેવામાં આવ્યું છે કે તે દ્યુલોકસંજ્ઞક અગ્નિમાં દેવતાઓ શ્રધ્ધાનું હવન કરે છે, પરંતુ તે દેવતાઓ કોણ છે  કંઇ રીતે હવન કરે છે ? અને શ્રધ્ધા શું છે ? આ બધા પ્રશ્ર્નોનો જવાબ આપણને શંકરાચાર્યના શાંકરભાષ્યમાંથી મળી રહે છે. શંકરાચાર્ય કહે છે કે અગ્નિહોત્રી યજમાનના મૃત્યુ સમયે અગ્નિહોત્રની બંને આહુતિઓ આહ્વનીયાગ્નિ, સમિધ, ધૂમાડો, અંગારા, તણખલા અને આહુતિદ્રવ્યરૂપ સાધનથી યુક્ત થઇ, સૂક્ષ્મ રૂપમાં અંતરિક્ષને તૃપ્ત કરીને દ્યુલોકમાં પ્રવેશ કરે છે. અહીં વ્યવહારમાં અગ્નિહોત્રના જે આધ્યાત્મિક પ્રાણ હોય છે તે દ્યુલોકમાં આધિદૈવિક રૂપમાં પરિણત થઇ ઇન્દ્રાદિ દેવ બને છે અને દ્યુલોકમાં તેઓજ હવન કરતા હોય છે. તેઓ આ લોકમાં અગ્નિહોત્રનું ફળ ભોગવવા માટે જ અગ્નિહોત્ર કરતા હતા તેથી દ્યુલોકમાં તેઓ દેવ શબ્દ વાચ્ય હોતૃત્વને પ્રાપ્ત કરે છે. આ રીતે દેવતાઓ કોણ છે અને કંઇ રીતે હવન કરે છે તે સમજાવ્યા પછી ભાષ્યકાર શ્રધ્ધા શું છે તે સમજાવે છે. – श्रध्धा वा आपः। અર્થાત્ શ્રધ્ધા જ જળ છે. તેમજ શ્રધ્ધાથી આરંભ કરીનેજ માણસો સામગ્રી એકઠી કરે છે અને કર્મ કરે છે. આ લોકમાં અગ્નિહોત્ર કર્મના આશ્રયભૂત જળદ્રવ્ય જે આહ્વનીય અગ્નિમાં હોમવામાં આવ્યું હતું તે અગ્નિ દ્વારા ભક્ષિત થઇ અદૃષ્ટ સૂક્ષ્મ રૂપમાં કર્તા યજમાનની સાથે ધુમાદિ ક્રમથી અંતરિક્ષમાં થઇ દ્યુલોકમાં પ્રવેશ કરે છે. આ શ્રધ્ધા શબ્દ વાચ્ય સૂક્ષ્મ જળને દેવતાઓ દ્યુલોકસંજ્ઞક અગ્નિમાં હોમે છે, અને તેનાથી સોમ રાજા ઉત્પન્ન થાય છે.
(2)       पर्जन्याग्नि – पर्जन्यो वाव गौतमाग्निः ... तस्मिन् एतस्मिन् अग्नौ देवाः सोमम् राजानम् जुह्वति तस्याः आहुतेः वर्षम् संभवति ।[6] અર્થાત્ હે ગૌતમ પર્જન્યજ અગ્નિ છે, પવન સમિધ છે, વાદળ ધૂમાડો છે, વીજળી એ અગ્નિની જ્વાળા છે, વજ્ર (ઇન્દ્રનું હથિયાર) અંગારા છે, અને મેઘ ગાજે છે એ તણખા છે. તે  અગ્નિમાં દેવતાઓ રાજા સોમનો હવન કરે છે. તે આહુતિથી વર્ષા થાય છે.
        અહીં વરસાદના દેવ પર્જન્યને અગ્નિ માનવામાં આવ્યા છે. વૃષ્ટિનાં જે સાધનો છે તેમના અભિમાની દેવતા વિશેષનું નામ પર્જન્ય છે. અહીં વાયુ એ સમિધ છે કારણ કે પર્જન્યરૂપ અગ્નિ વાયુથીજ પ્રદીપ્ત થાય છે. ધૂમાડા જેવાં દેખાવાના લીધે વાદળાં ધૂમાડો છે. પ્રકાશમાં સમાનતા હોવાને લીધે વીજળી જ્વાળા છે. વીજળી સાથે સંબંધ રાખવાને લીધે વજ્ર અંગારા છે. મેઘની ગર્જના એ તણખા છે, કારણ કે તણખાની જેમ ગર્જના ચારેબાજુ ફેલાયેલી હોય છે. આ અગ્નિમાં દેવતાઓ પ્રથમ દ્યુલોકાગ્નિમાં જે રાજા સોમની ઉત્પત્તિ થઇ હતી તે સોમનું હવન કરે છે. અને તેનાથી વર્ષા થાય છે. એટલેકે શ્રધ્ધાસંજ્ઞક જળ બીજા પર્યાયમાં સોમના આકારમાં પરિણત થઇ પર્જન્ય અગ્નિને પ્રાપ્ત થઇને વરસાદના રૂપમાં ફેરવાઇ જાય છે
(3)       इहलोकाग्नि – ( પૃથ્વી લોકનો અગ્નિ ) पृथिवी वाव गौतमाग्निः .... तस्मिन् एतस्मिन् अग्नौ देवाः वर्षं जुह्वति तस्या आहुतेरन्नम् संभवति ।[7] અર્થાત્ હે ગૌતમ પૃથ્વી  એ જ અગ્નિ છે, તે પૃથ્વીનું સંવત્સર (વર્ષ)  એ સમિધ છે, આકાશ ધૂમાડો છે, રાત્રિ  એ જ્વાળા છે, દિશાઓ અંગારા છે, અવાન્તર દિશાઓ અર્થાત્ ખૂણાઓ તણખા છે. તે આ અગ્નિમાં દેવતાઓ વર્ષાનો હવન કરે છે, તે આહુતિથી અન્ન ઉત્પન્ન થાય છે.
        અહીં ત્રીજા પૃથ્વીલોકના અગ્નિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે પૃથ્વીસંજ્ઞક અગ્નિનો સંવત્સર (વર્ષ) જ સમિધ છે; કારણ કે સંવત્સરરૂપ કાળથી સમિધ થઇને અર્થાત્ પોષણ પામીને જ પૃથ્વી અનાજ ઉત્પન્ન કરવામાં સમર્થ થાય છે. આકાશ ધૂમાડો છે, કારણ કે આકાશ પૃથ્વીમાંથી ઉપર જતું હોય તેમ દેખાય છે. રાત્રિ જ્વાળા છે, કારણ કે તે તમોરૂપ છે. ઉપશાન્તિમાં સમાનતા હોવાને લીધે દિશાઓ અંગારા છે. તેમજ ક્ષુદ્રપણામાં સરખાપણાને લીધે અવાન્તર દિશાઓ એટલે કે ખૂણાઓ તણખા છે. આ પૃથ્વીસંજ્ઞક અગ્નિમાં દેવતાઓ દ્વિતીય પર્જન્ય અગ્નિમાંથી ઉત્પન્ન થયેલ વર્ષાનો હવન કરે છે, તે વર્ષાની આહુતિથી અન્ન ઉત્પન્ન થાય છે.
(4)       पुरुषाग्नि – पुरुषो वाव गौतमाग्निः.... तस्मिन् एतस्मिन् अग्नौ देवाः अन्नं जुह्वति तस्या आहुतेः रेतः संभवति ।[8] અર્થાત્ હે ગૌતમ પુરુષ અગ્નિ છે, વાણી સમિધ છે, પ્રાણ ધૂમાડો છે, જીભ એ અગ્નિની જ્વાળા છે, આંખ અંગારા છે અને કાન તણખા છે. તે આ અગ્નિમાં દેવતાઓ અન્નનો હવન કરે છે. તે આહુતિથી વીર્ય ઉત્પન્ન થાય છે.
        અહીં હાથ-પગ વાળા પુરુષને જ અગ્નિ માનવામાં આવ્યો છે. તેની વાણી સમિધ છે, કારણ કે વાણીરૂપ મુખ દ્વારા જ પુરુષ શોભે છે. પ્રાણ ધૂમાડો છે, કારણ કે તે ધૂમાડાની જેમ મોઢામાંથી નીકળે છે. લાલ હોવાથી જીભ જ્વાળા છે. પ્રકાશનો આશ્રય હોવાથી નેત્ર અંગારા છે. તેમજ ફેલાયેલા હોવામાં સમાનતા હોવાને લીધે કાનને તણખા કહ્યા છે. તે આ પુરુષરૂપ અગ્નિમાં જે અન્ન ઉત્પન્ન થયું હતું તે અન્નનો દેવતાઓ હવન કરે છે.
        અહીં કોઇને શંકા થાય કે તે અન્ન હોમનાર દેવતાઓ ક્યા છે તો આ પ્રશ્ર્નનો જવાબ આપતાં શંકરાચાર્ય કહે છે કે – प्राणानां देवत्वोपपत्तेः अधिदैवमिन्द्रादयोदेवास्त एवाध्यात्मं प्राणास्ते चान्नस्य पुरुषे प्रक्षेप्तारः ।[9] અર્થાત્ પ્રાણનેજ દેવ માનવામાં આવે છે. જે અધિદૈવ ઇન્દ્રાદિ દેવ છે, તે જ અધ્યાત્મ પ્રાણ છે અને તે જ પુરુષમાં અન્ન હોમે છે. આ અન્નનું હવન કર્યા પછી વીર્ય ઉત્પન્ન થાય છે, કારણ કે વીર્ય અન્નનું જ પરિણામ છે.
(5)       योषाग्नि ( સ્ત્રીરૂપ અગ્નિ ) – योषा वाव गौतमाग्निः.... तस्मिन् एतस्मिन् अग्नौ देवाः रेतो जुह्वति तस्या आहुतेर्गर्भः संभवति ।[10]  અર્થાત્ હે ગૌતમ સ્ત્રી અગ્નિ છે, એનું ઉપસ્થ એટલે કે જનનેન્દ્રિય એ સમિધ છે, કારણ કે તેનાથી તે પુત્ર વગેરે ઉત્પન્ન કરવા માટે શોભાયમાન થાય છે. લોમ એ ધૂમાડો છે, યોનિ એ અગ્નિની જ્વાળા છે, કારણ કે તે લાલ રંગની હોય છે. જે તેની અંદર સંભોગ કરવામાં આવે છે તે અંગારા છે. અને એથી જે સુખ થાય છે એ તણખા છે. તે આ સ્ત્રીરૂપ અગ્નિમાં દેવતાઓ વીર્ય હોમે છે. એ આહુતિથી પુરુષ ઉત્પન્ન થાય છે.
        આમ દ્યુલોક, પર્જન્ય, પૃથ્વીલોક, પુરુષ અને સ્ત્રીરૂપ અગ્નિઓમાં અનુક્રમે શ્રધ્ધા, સોમ, વર્ષા, અન્ન અને વીર્યરૂપ આહુતિઓના હવનના પર્યાય ક્રમથી તે જળજ ગર્ભરૂપમાં પરિણત થાય છે. તેમાં આહુતિઓ સાથે જોડાયેલ હોવાને લીધે શ્રુતિને માટે જળની જ પ્રધાનતા બતાવવાનું અભીષ્ટ છે.
        આ પ્રમાણે અહીં પાંચમા પ્રશ્ર્નનો જવાબ મળી જાય છે. પ્રશ્ર્ન એ પ્રમાણે હતો કે કેટલામી આહુતિનું હવન કરવાથી જળ પુરષવાચક થઇને બોલી ઊઠે છે ? તો તેનો જવાબ એ છે કે સ્ત્રીરૂપ અગ્નિમાં પાંચમી આહુતિનું હવન કરવાથી જળ પુરુષવાચક થઇને બોલી ઉઠે છે. તે પુરુષ જન્મ્યા પછી જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી જીવે છે અને મરી ગયા પછી એને અગ્નિદાહ દેવા માટે લઇ જાય છે. આમ છેવટે  એ જેમાંથી આવ્યો હોય, તેમાંજ ભળી જાય છે.  
        માણસો મરી ગયા પછી આ પૃથ્વીલોકમાંથી ક્યાં જાય છે ? આવો જે પ્રથમ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો તેનો જવાબ આ પ્રમાણે આપવામાં આવ્યો છે.
        આ પંચાગ્નિવિદ્યાને જે જાણે છે તેમજ વનમાં રહીને  શ્રધ્ધાથી તપ કરે છે, એટલે કે જેઓ એમ સમજે છે કે દ્યુલોક વગેરે અગ્નિઓમાંથી ક્રમશઃ ઉત્પન્ન થયેલા અમે અગ્નિસ્વરૂપ અર્થાત્ પંચાગ્નિમય છીએ તેઓ અને બ્રહ્મચારીઓ મરી ગયા પછી સૂર્યકિરણોના દેવને પામે છે, ત્યાંથી દિવસના દેવને, ત્યાંથી શુક્લપક્ષના દેવને, ત્યાંથી ઉત્તરાયણના દેવને, ત્યાંથી વર્ષાના દેવને, ત્યાંથી સૂર્યને, ત્યાંથી ચન્દ્રને અને ત્યાંથી  વીજળીને પામે છે. ત્યાં બ્રહ્મલોકમાં અમાનવીય એવો પુરુષ આવીને એને બ્રહ્મલોકમાં લઇ જાય છે. આને દેવયાનમાર્ગ અથવા શુક્લગતિ કહેવામાં આવે છે. આ માર્ગથી જનારા ફરીથી પૃથ્વીલોક ઉપર આવતા નથી પરંતુ બ્રહ્મલોકમાં જે કેટલાક એવા લોક છે જેમાં તે પોતાના તપના પ્રભાવથી જાય છે. મહઃ, જનઃ, તપઃ, અને સત્ય આ ચારેય લોક બ્રહ્મલોકના અંતર્ગત છે. સાધક પોતાની સાધનાના પ્રભાવથી આ ચારમાંથી એક લોકમાં જાય છે અને ફરી ત્યાંથી જ્ઞાન દ્વારા ઉત્તરોત્તર લોકમાં જતો સત્યલોકમાં પહોંચીને મુક્ત થઇ જાય છે.
        જે ગૃહસ્થો પંચાગ્નિવિદ્યા જાણતા નથી અને કેવળ ઇષ્ટાપૂર્ત વગેરે કર્મોમાંજ લાગેલા રહે છે તેમના માટે ધૂમાદિ દક્ષિણમાર્ગ પ્રસિધ્ધ છે, જેને પિતૃયાનમાર્ગ કહેવામાં આવે છે.
        દેવયાનમાર્ગ અને પિતૃયાનમાર્ગ જ્યાંથી જુદા પડે છે એ સ્થાનની તને ખબર છે ? આ પ્રમાણે જે ત્રીજો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો તેનો હવે નિર્ણય કરવામાં આવે છે.
        જે પુરુષો ગામની અંદરજ રહીને યજ્ઞ, યાગ વગેરે ક્રિયાઓ કરે છે તથા કૂવા, તળાવ વગેરે બંધાવે છે અથવા દાન આપે છે તેઓ ધૂમાડાના અભિમાનિ દેવને પામે છે, ત્યાંથી રાત્રિને, ત્યાંથી કૃષ્ણપક્ષના દેવને અને ત્યાંથી એ વર્ષના દેવની પાસે જઇ શકતા નથી, પરંતુ દક્ષિણાયનના દેવને પામે છેદક્ષિણાયનના દેવની પાસેથી તેઓ પિતૃલોકમાં, ત્યાંથી આકાશમાં અને ત્યાંથી ચન્દ્રલોકમાં જાય છે. જે આ રાજા ચન્દ્ર છે તે દેવોનું અન્ન  અર્થાત્ ભોગનું સાધન છે. તેનું દેવો ભક્ષણ કરે છે. અર્થાત્ તેને દેવો પોતાની સેવા કરાવવારૂપ ઉપભોગમાં લે છે. કર્મકાંડીઓ દેવતાઓના ઉપભોગ્ય હોવા છતાંય સુખી થઇને દેવતાઓની સાથે ક્રીડા કરે છે. તેમજ તેમના સુખના ઉપભોગને યોગ્ય જળવાળા શરીરનો ચન્દ્ર મંડળમાં આરંભ થાય છે.
        બીજા પ્રશ્ર્નમાં જે પૂછવામાં આવ્યું હતું કે માણસો ત્યાંથી પાછા કેવી રીતે આવે છે ? તે પ્રશ્ર્નનો જવાબ અહીં આપવામાં આવે છે.
        જે જીવો ધૂમાદિ માર્ગે ચન્દ્રલોકમાં ગયા હતા તેઓ પાછા આ પ્રમાણે આવે છે. ચન્દ્રલોકમાં કર્મનો ક્ષય થઇ જવાથી તેલ ખૂટી જતાં જેમ દીવો ઓલવાઇ જાય છે, તેમ ત્યાં તેઓ એક ક્ષણ પણ ટકી શકતા નથી. ચન્દ્રમંડળમાં તેમના શરીરનો આરંભ કરનારું જે જળ હોય છે તે ત્યાંના ઉપભોગના નિમિત્તભૂત કર્મોનો ક્ષય થતાં વિલીન થઇ જાય છે. જેવી રીતે અગ્નિનો સંયોગ થતાં ઘીનો લોંદો ઓગળી જાય છે તેવી રીતે તે અંતરિક્ષમાં રહેલું જળ વિલીન થઇને આકાશભૂતની જેમ સૂક્ષ્મ થઇ જાય છે.
        તેઓ જે માર્ગે ચન્દ્રલોકમાં ગયા હોય છે એ જ માર્ગે ત્યાંથી પાછા ફરે છે. ત્યાંથી એ આકાશમાં આવે છે. ત્યાંથી વાયુ બને છે, પછી ધૂમાડો બને છે અને તેમાંથી વાદળાં બને છે. વાદળાં બન્યા પછી પૃથ્વી ઉપર વરસે છે. તેમાંથી તેઓ ડાંગર, જવ, ઔષધિઓ, વનસ્પતિઓ, તલ, અડદ વગેરે બનીને પૃથ્વી ઉપર ઊગે છે. પછી તેઓ ત્યાંથી પોતાની મેળે આગળ વધી શકતા નથી. પણ જે કોઇ એ અન્ન ખાય છે અને ઋતુ સમયે સ્ત્રી ગમન કરે છે, ત્યારે તેના જેવાજ બનીને એ જન્મે છે.
        ક્યારેક અભક્ષ્યોમાં ઉત્પન્ન થવાથી ન ખવાયાને લીધે તેઓ ત્યાંજ સુકાઇ જાય છે. તો વળી બાળક, નપુંસક, વૃધ્ધ પુરુષો વગેરે દ્વારા ખવાયા પછી તેઓ પેટની અંદરજ નષ્ટ થઇ જાય છે. આ બંને ઠેકાણે જીવના સુકાઇ જવાની અને નષ્ટ થવાની જે વાત કરી છે તે વૈરાગ્ય વધવાના ઉદ્દેશથી સ્વર્ગમાંથી પાછા ફરવાના અતિશય દુઃખપણાને પ્રદર્શિત કરવા માટે છે. આવા અનુશયી જીવનું નીકળવું એ અતિ કષ્ટમય છે.
        પરંતુ ચન્દ્ર મંડળના ભોગથી બચેલા સુખી થઇને દેવતાઓની સાથે ક્રીડા કરનારા અનુશયી જીવોની કર્મને અનુરૂપ ગતિ થાય છે. કર્માનુસાર મળનારાં જુદાં જુદાં શરીર કેવી રીતે પ્રાપ્ત થાય છે તેનું વર્ણન શ્ર્વેતાશ્ર્વતરોપનિષદ્ માં આ પ્રમાણે કરવામાં આવ્યું છે. – सङकल्पनस्पर्शनदृष्टिमोहैर्ग्रासाम्बुवृष्टया चात्मविवृध्धिजन्म। कर्मानुगान्यनुक्रमेण देही स्थानेषु रूपाण्यभिसंप्रपद्यते ।।[11] અર્થાત્ જે રીતે અન્ન અને જળના સેવનથી શરીરની વૃધ્ધિ થાય છે તે રીતે સંકલ્પ, સ્પર્શ, દર્શન અને મોહથી ( કર્મ થાય છે અને ફરીથી ) આ દેહી ક્રમશઃ વિભિન્ન યોનિઓમાં જઇને તે કર્માનુસાર રૂપ ધારણ કરે છે. स्थूलानि सूक्ष्माणि बहूनि चैव रूपाणि देही स्वगुणैर्वृणोति ।[12] અર્થાત્ જીવ પોતાના ગુણો ( પાપ-પુણ્યો ) દ્વારા અનેક પ્રકારના સ્થૂળ-સૂક્ષ્મ દેહ ધારણ કરે છે.
        આમ જીવાત્મા પોતાના કર્મો-ગુણોને અનુરૂપ જુદા જુદા દેહ અને રૂપ ધારણ કરે છે. સંકલ્પ, સ્પર્શ, દૃષ્ટિ અને મોહ તે કર્મોનાં કારણો છે. શ્રુતિમાં આવેલ  स्थानेषु શબ્દનો અર્થ છે- જીવાત્મા માનવ, પશુ કાંતો દેવ વગેરે કોઇ પણ રૂપ કર્મને આધારે જ ધારણ કરે છે. તે ધારે તો પશુ પણ થઇ શકે, મનુષ્ય પણ થઇ શકે અને દેવ પણ થઇ શકે. અહીં ઉત્ક્રાન્તિનો નિયમ લાગુ પડે છે. આપણે જેટલા વિકસિત થઇએ તેવી રીતનો દેહ આપણને મળે છે.
        ગીતામાં પણ કહ્યું છે કે આ જગતમાં જેનાં આચરણ સારાં હોય તેઓ ફરીથી પવિત્ર અને શ્રીમંતના ઘરે જન્મ લે છે.[13] ગીતામાં સત્કર્મ કરનારની ગતિ પણ બતાવી છે. પણ જેનાં કર્મ અને આચરણ સારાં નથી હોતાં તેઓને કૂતરા, ભૂંડ કે ચાંડાલના જેવો અવતાર લેવો પડે છે. આવા દ્વેષી, ક્રુર નરાધમોને ભગવાન સંસારમાં વારંવાર આસુરિ યોનિઓમાં નાખે છે. અને આ પ્રમાણે આસુરિ યોનિને પામેલા તે મૂઢ લોકો જન્મોજન્મ વધારે અધમ ગતિ પામતા રહે છે. આમ ગીતામાં પણ માનવ વ્યવહાર માટે વિઘાતક એવા દુર્ગુણોની તીવ્ર નિંદા કરવામાં આવી છે.[14] જ્યારે ઇષ્ટ કર્મ કરનારા ચક્રના આરાની જેમ ધૂમાદી માર્ગથી વારંવાર આવતા-જતા રહે છે. અને જો તેમને પણ જ્ઞાનની પ્રાપ્તિ થઇ જાય તો અર્ચિ માર્ગે જાય છે. અને તે પણ મુક્ત થઇ જાય છે.
        શ્ર્વેતકેતુને ચોથા પ્રશ્ર્નમાં એમ પૂછવામાં આવ્યું હતું કે મરણ પામેલા માણસોથી પિતૃલોક ભરાઇ કેમ જતો નથી ? તેનો જવાબ આ પ્રમાણે આપવામાં આવ્યો છે. ઉપર્યુક્ત જે અર્ચિ માર્ગ અને ધૂમાદિ માર્ગ બતાવવામાં આવ્યા છે એ બંને માર્ગે જે જીવો જતા નથી તેવા અશાસ્ત્રીય પ્રવૃત્તિ વાળા જીવોની  ગતિ આ પ્રમાણે થાય છે. अथ एतयोः पथोर्न कतरेण च न तानी इमानि क्षुद्राणि असकृत् आवर्तीनि भूतानि भवन्ति जायस्व म्रियस्व इति एतत् तृतीय स्थानं तेनासौ लोको न सम्पूर्यते ।[15] અર્થાત્ જેઓ અર્ચિ અને ધૂમાદિ માર્ગે જતા નથી તેઓ ક્ષુદ્ર જીવ-જંતુઓ (કીડા-મકોડા,ચાંચડ,મચ્છર વગેરે જીવ જંતુઓ) બને છે અને તેઓ જન્મ-મરણ પામ્યા જ કરે છે. આથી પરલોક ભરાઇ જતો નથી. જીવાત્માઓની આ ત્રીજી ગતિ કહેવાય છે.

        અહીં જે ત્રીજી ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેને અવિચ્છિન્ન (ન તૂટતી) પરંપરાનું અનુકરણ કહેવામાં આવે છે. ‘ જન્મોં અને મરો’’ આ ઇશ્ર્વર સંબંધી ચેષ્ટા કહેવાય છે. તાત્પર્ય એ છે કે એ જીવોને બંને માર્ગથી પતીત થયેલા જોઇને જાણે ઇશ્ર્વર એમ ન કહેતો હોય કે ‘‘ તમે જન્મોં અને મરો ’’ અર્થાત્ તેમનો સમય જન્મ લેવામાં અને મરવામાં જ જાય છે. કર્મ કરવા અને સુંદર ભોગો ભોગવવા માટે તેમને અવકાશ જ મળતો નથી.

        આ પંચાગ્નિ વિદ્યાનું નિરૂપણ બૃહદારણ્યક અને છાન્દોગ્ય બંને ઉપનિષદોમાં સમાન રીતે જોવા મળે છે. શાખા ભેદથી એકજ વિદ્યા અનેક સ્થાનો પર ઉલ્લેખાઇ જતી હોય છે. આ બંને ઉપનિષદોમાં માત્ર ચોથા અને પાંચમા પ્રશ્ર્નનો ક્રમભેદજ જુદો છે. બાકી બીજી કોઇ ભિન્નતા જોવા મળતી નથી. વાજસનેય ઉપનિષદમાં પણ અગ્નિહોત્રની બંને આહુતિઓની ઉત્ક્રાન્તિ,ગતિ,પ્રતિષ્ડા,તૃપ્તિ,પુનરાવૃત્તિ અને લોકોના પ્રતિ ઉત્થાન કરવું – આ છ પ્રશ્ર્નો છે. ત્યાં તેનું નિરાકરણ પણ બતાવવામાં આવ્યું છે.

        પં.વાસુદેવ શરણ અગ્રવાલ આ પંચાગ્નિ વિદ્યાની સમીક્ષા કરતાં કહે છે કે : રાજા જૈવલિએ જલ તત્વના પાંચ અગ્નિઓમાં પ્રકૃતિ દ્વારા કેવી રીતે આહુતિ આપવામાં આવે છે અને પુરુષનો જન્મ થાય છે તથા ફરીથી તે આહુતિઓ ક્રમથી પાછી ફરીને વિરાટમાં મળે છે તેનો ગૌતમને ઉપદેશ કર્યો છે. એક રીતે તો આ સૃષ્ટિની વિરાટ પ્રયોગ શાળાનું જ વર્ણન છે. જેના દ્વારા જળની રાસાયણિક પક્રિયા થઇને શ્રધ્ધા, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને સ્ત્રી આ પાંચ અગ્નિઓમાં એ જળ ક્રમથી સૂક્ષ્મ અને સંસ્કૃત (સંસ્કાર યુક્ત) બનતાં જાય છે અને અંતે પ્રાણથી યુક્ત કુમારને જન્મ આપે છે. જળમાંથી મેઘ બને છે, વૃષ્ટિ થાય છે, અન્ન ઉત્પન્ન થાય છે, પુરુષમાં રેતસ્ બને છે અને માતાની કુક્ષિમાં ગર્ભનું નિર્માણ થાય છે. આ અત્યંત રહસ્યમય ક્રમ છે. આમાં વિરાટ અધિદૈવત સૃષ્ટિ અને અધ્યાત્મ શરીર બંનેનો એકબીજાની સાથે સહયોગ હોય છે. બધાજ પ્રાણીઓ અવિરત ચાલ્યા કરતા જન્મ-મરણના આ દુર્નિવાર ચક્રને આધીન છે. પ્રાણોનું અને ભૂતોનું પરસ્પરનું આ પ્રમાણેનું વિધાન છે. આ વિધાન સૂર્ય અને ચન્દ્ર, શ્રધ્ધા અને સોમ તેમજ પુરુષ અને સ્ત્રીના દ્વન્દ્વના રૂપમાં સૃષ્ટિના આરંભથી જ ચાલતું આવ્યું છે. શ્રધ્ધા સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ એવું સૌમ્ય તત્વ છે. સૂર્ય અને ચન્દ્ર અથવા અગ્નિ અને સોમ આ બે પ્રકારનાં તેજોને દેવયાન અને પિતૃયાનના વિભાગરૂપે સમજાવવામાં આવ્યા છે. આ બંને પ્રકાશ અને અંધકાર અથવા દિવસ અને રાત્રિના રૂપમાં વિશ્ર્વનાં મૌલિક દ્વન્દ્વો છે. ‘ अग्निसोमात्मकं जगत्  આ પરિભાષા અનુસાર પ્રત્યેક સ્થળે, પ્રત્યેક પદાર્થમાં શીત અને ઉષ્ણ આ શક્તિઓનું દ્વન્દ્વ રહેલું જોવામાં આવે છે. અને એકબીજાની વચ્ચેના દુર્નિવાર આકર્ષણથી પ્રાણો અને ભૂતોના સંજીવન શરીરને જન્મ આપે છે. ચન્દ્રમાના શુક્લ અને કૃષ્ણ પક્ષોમાં તેમજ સૂર્યના ઉત્તરાયણ અને દક્ષિણાયન આ કાલ વિભાગોમાં શીત અને ઉષ્ણ તેમજ જ્યોતિ અને તમસ્ નું દ્વન્દ્વજ કારણ છે. આ દ્વન્દ્વનીજ સૂક્ષ્મ અને સ્થૂલ વ્યાખ્યા આપવાનું આ પ્રસંગમાં અભીષ્ટ છે.[16]  

        આમ, રાજા જૈવલિએ શ્ર્વેતકેતુને જે પાંચ પ્રશ્ર્નો પૂછ્યા હતા તે પાંચ પ્રશ્ર્નોના જવાબ શ્ર્વેતકેતુના પિતા ઉદ્દાલકને રાજા જૈવલિ પાસેથી પંચાગ્નિ વિદ્યા દ્વારા મળી જાય છે. પ્રાચીન કાળમાં રાજાઓ પણ આવી ગૂઢ વિદ્યાઓ જાણતા હતા. આ પંચાગ્નિ વિદ્યા ઉપનિષદોના સૃષ્ટિ વિજ્ઞાનનું સુપ્રસિધ્ધ અંગ છે. સંસારમાં રહેલા મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ, વનસ્પતિ વગેરેમાં રહેલા જીવાત્માની ગતિ અને આગતિ જાણવા માટે આ પંચાગ્નિ વિદ્યા ઉપનિષદોમાં મહત્વનું સ્થાન ધરાવે છે

પાદટીપ



¨ ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના 28 મા અધિવેશનમાં પ્રસ્તુત લેખને શોધપત્ર વાંચન  સ્પર્ધામાં પ્રથમ ક્રમનો પુરસ્કાર પ્ર્રાપ્ત થયેલ છે. સ્થળ- શ્રી સ્વામિનારાયણ મંદિર, તીથલ, જિ.વલસાડ. તા.1લી મે,2004  




[1]   छान्दोग्योपनिषद्, 5/3-10, शाङकरभाष्य सहित, गीता प्रेस, गोरखपुर, आठवॉ संस्करण, सं.2052
[2]   बृहदारण्यकोपनिषद्, 6/2, शाङकरभाष्य सहित, गीता प्रेस, गोरखपुर, सातवॉ संस्करण, सं.2052
[3]   छान्दोग्योपनिषद्, 5/3/5
[4]   बृहदारण्यकोपनिषद्, 6/2/7, शाङकरभाष्य ।
[5]   छान्दोग्योपनिषद्, 5/4/1-2
6   छान्दोग्योपनिषद्, 5/5/1-2
7   छान्दोग्योपनिषद्, 5/6/1-2
8   छान्दोग्योपनिषद्, 5/7/1-2
9   बृहदारण्यकोपनिषद्, 6/2/12, शाङकरभाष्य ।
10 छान्दोग्योपनिषद्, 5/8/1-2
11  ईशादी नौ उपनिषद्, श्र्वेताश्र्वतरोपनिषद्, 5/11, गीता प्रेस, गोरखपुर, द्वितीय संस्करण, सं.2060
12  तदेव, श्र्वेताश्र्वतरोपनिषद्, 5/12
13  प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्र्वतीः समाः । शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ।। 6/41
14  तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान् । क्षिपाम्यजस्रमशुभानासुरीष्वेव योनिषु ।। 16/19
      आसुरीं योनिमापन्ना मूढा जन्मनि जन्मनि । मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम् ।। 16/20     
 15 छान्दोग्योपनिषद्, 5/10/8
16 વાસુદેવશરણ અગ્રવાલ, ઉપનિષદ-નવનીત, અનુવાદક: શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ, પૃ.98,164-165, ત્રીજી આવૃત્તિ,1996











विद्या